સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

ભાવનગરની મધુસિલીકા દ્વારા ૯૦૦ કરોડના બે એમ.ઓ.યુ. રાજય સરકાર સાથે કરાયા

ભાવનગર : અનેક રોજગારી આપતી સુવિખ્યાત કંપની મધુસિલિકા દ્વારા ૧પ૦૦  થી ર૦૦૦ લોકોને નવી રોજગારી મળે તે માટે રાજય સરકાર સાથે રૃા. ૯૦૦ કરોડના જુદા જુદા બે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા છે. મધુસિલીકા પ્રા. લી. દ્વારા ચેરમેન રમેશભાઇ શાહ અને એમ. ડી. દર્શકભાઇ શાહ એ તેના બે ભાવી પ્રોજેકટ માટે ગાંધીનગર ખાતે રૃા. ૯૦૦ કરોડના જુદા જુદા બે એમ. ઓ. યુ. સરકાર વતી કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એડી. ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા સાથે કરવામાં આવેલ છે.

(12:02 pm IST)