સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

આજથી દ્વારકા જગત મંદિર શિખર ઉપર ધ્‍વજાજી ચડાવવા માટે ફકત ૨૦ ભકતોને મંજૂરી અપાશે

તમામ લોકો પાસે બંને રસી લીધી છે તેના આધાર અને કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે હશે તેને મંદિરમાં પ્રવેશ અપાશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૫ : હાલમાં ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જગત મંદિર દ્વારકાધીશના શિખર ઉપર આજે શનિવારથી રોજની પાંચ ધ્‍વજાજી ચડાવવા માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્‍યામાં માત્ર ૨૦ લોકોને મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે. સાથે સાથે તમામ લોકો પાસે બને રસી લીધી છે તેના આધાર અને કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે હસે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. તેવું વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.

 

(10:19 am IST)