પોરબંદરના મોચા ગોરસરમાં ધોકાના ઘા મારીને હત્યા
ઘર પાસે કૂતરા ભગાડવાનું મનદુઃખ રાખીને જીવલેણ હુમલો : મકર સંક્રાંતિની આગલી સાંજે બનાવ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : તાલુકાના મોચા - ગોરસરમાં ઘર પાસેથી કૂતરા ભગાડવાની થયેલી માથાકુટનું મનદુઃખ રાખીને આરોપી રાજૂનાથ રામનાથ સતનાથ બાવાજીએ લાકડાના ધોકા વડે ભનુનાથ શિવનાથ શામનાથ સતનાથ બાવાજી નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરીને ભનુનાથ શિવનાથની હત્યા નીપજાવી નાખતા ચકચાર જાગી છે.
મોચા - ગોરસરમાં હત્યાના બનાવની માધવપુર પોલીસ સ્ટેશનમાં મરનાર ભનુનાથ શિવનાથ શામનાથ સતનાથના માતા સુંદરબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, પોતાનો દીકરો ભનુનાથ ફળીયામાં ઉભો હતો ત્યારે આરોપી રાજૂનાથ રામનાથ સતનાથ આવીને ઘર પાસે થોડા સમય પહેલા કૂતરા ભગાડવાનું મનદુઃખ રાખીને લાકડાના ધોકાના ઘા ભનુનાથ શિવનાથ ઉપર મારીને ભનુનાથની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી સામે કલમ ૩૦૨, ૫૦૪ તથા જીપી એકટ કલમ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
મકર સંક્રાંતિની આગલી સાંજે મોચા - ગોરસરમાં હત્યાના બનાવથી ચકચાર જાગી છે.