લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીમાં કાર્યકરો જોડાયા, અધ્યક્ષ અશોકભાઇ ભૂત દ્વારા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી
વિરપુર : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે ત્યારે લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીમાં જસદણ તાલુકા તેમજ વીંછીયા તાલુકાના ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા,તાજેતરમાં જ લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે અશોકભાઈ ભૂતનિ નિમણુંક કરવામાં આવી છે ત્યારે તેમના સમર્થનમાં જસદણ તાલુકાના ૫૦ થી ૬૦ અને વીંછીયા તાલુકાના ૪૦ થી ૫૦ કાર્યકરો ભાજપ,કોંગ્રેસને તિલાંજલી આપી વિરપુરમાં આવેલ હોટલ તોરણ ખાતે લોકતાંત્રિક રાષ્ટ્રવાદિ પાર્ટીમાં જોડાયા હતા, લોકતાંત્રિક રાષ્ટ્રવાદિના પાર્ટી અધ્યક્ષ અશોકભાઈ ભુતે જણાવ્યું હતું કે વર્તમાન સરકારના નેતાઓ થી નારાજ થઈને આ કાર્યકરો જોડાયા છે અને લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીમાં જ્ઞાતિવાદ વગર બધા નાનામાં નાના માણસોને પોતાની પાર્ટી સ્થાન આપવામાં આવે છે જેમાં રાજકોટ જિલ્લા પ્રેસિડેન્ટ તરીકે રમેશભાઈ ગિજુભાઈ કાગડીયા -મુ. પીપરડી તાલુકો વીંછીયા વાળાને તેમજ વીંછીયા તાલુકા પ્રેસિડેન્ટ તરીકે દીપકભાઈ વેલાભાઈ ઝાપડિયા મુ.પીપરડી તેમજ વીંછીયા શહેરના પ્રમુખ તરીકેᅠ જનકભાઈ કાંતિભાઈ કાગડીયાની નિમણુંક કરી છે તેમજ ગુજરાત પ્રદેશ મહિલા પ્રેસિડેન્ટ તરીકે કોડીનારના રીટાબેન વજુભાઇ બારડની નિમણુંક કરવામાં આવી છે તથા જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે બાલિભાઈ બુહાને તેમજ અમરેલી જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જેસુખભાઇ કાછડીયા ગામ માણેકવાડા તથા જૂનાગઢ તાલુકા પ્રમુખ તરીકે ચેતનભાઈ કથીરિયા ગામ વડાળા વાળા અને વંથલી તાલુકાના પ્રમુખ તરીકે રસિકભાઈ કોટડીયાની નિમણુંક કરવામાં આવી છે.જસદણ અને વીંછીયા તાલુકાના નિમણુંક કરાયેલા હોદેદારો વિરપુર થી સોમનાથ મહાદેવના દર્શન કરી લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી વધુમાં વધુ મજબુત બને તેવી પ્રાર્થના કરી હતી, વધુમાં અશોકભાઈ ભુતે જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી જહેમત ઉઠાવશે.(તસ્વીર : કિશન મોરબીયા, વિરપુર)