પોરબંદર સલાટ સમાજના પ્રમુખ સહીત ૫૧ આગેવાનો અર્જુનભાઇ મોઢવાડીયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
પોરબંદર, તા., ૧પઃ સલાટ સમાજના પ્રમુખ જતીનભાઇ મોરબીયા સહીત પ૧ આગેવાનો પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
નગર પાલીકા અને સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ આવી રહી છે તેવા સમયે પોરબંદર સમસ્ત સલાટ સમાજના પ્રમુખ જતીનભાઇ ચુનીભાઇ મોરબીયા સહીતના ૫૧ જેટલા સામાજીક કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પુર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાતા કોંગ્રેસ પરીવારમાં ખુશી વ્યાપી છે
પોરબંદર શહેર અને છાંયામાં સારી એવી વસ્તી ધરાવતા અને રાજકીય રીતે ખુબ અસરકારક સલાટ સમાજના પ્રમુખ જતીનભાઇ ચુનીભાઇ મોરબીયા, ઉપપ્રમુખ વિશાલભાઇ દિનેશભાઇ ડાભી, વિશ્વકર્મા યુવક મંડળના પ્રમુખ નિલેશભાઇ દેવેન્દ્ર મકવાણા તેમજ અગ્રણી કાર્યકરો સર્વશ્રી મનોજભાઇ મોરબીયા, રાજેશભાઇ ગોવિંદભાઇ મોરબીયા, મહેશ નરેન્દ્રભાઇ પરમાર, વિજય અમળતલાલ ડાભી, કૈલાશ દેવેન્દ્રભાઇ મકવાણા, ધર્મેશ દીલીપભાઇ ડાભી, હેમેન્દ્ર રસીકભાઇ મોરબીયા સહિતના પ૧ જેટલા સલાટ સમાજના સક્રિય કાર્યકરો અને સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસ પક્ષની વિચારધારામાં વિશ્વાસ વ્યકત કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સામતભાઇ ઓડેદરાના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં વિધિવત જોડાતાં કોંગ્રેસના પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી છે.
સલાટ સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓના કોંગ્રેસ પ્રવેશના આ કાર્યક્રમમાં અર્જુનભાઇ મોઢવાડિયાની સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સામતભાઇ ઓડેદરા, છાંયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ આગેવાન સુરેશભાઇ થાનકી, નગરપાલિકાના પૂર્વ સદસ્ય વિરેન્દ્રભાઇ શિયાળ, કોંગ્રેસ અગ્રણીઓ સર્વેશ્રી નરેન્દ્રભાઇ શિયાળ, વનરાજભાઇ કેશવાલા અને મેરૂભાઇ સિંઘલ ઉપસ્થિત રહ્યા હતા. (