ધારી વેપારી મહામંડળ પ્રમુખ
મુકેશ રૂપારેલીયાની શ્રી ભવાનીમાં ટ્રસ્ટ દેવળાના પ્રમુખપદે નિયુકિત
ધારી તા.૧૫ : હાલારી લોહાણા રૂપારેલીયા પરિવારના ધારી તાલુકાના દેવળા મુકામે બિરાજમાન કુળદેવી માં ભવાની મંદિરમાં વિવિધ હોદ્દાઓની સર્વાનુમતે વરણી કરી જવાબદાર ખંતીલા માઇ ભકતોને કારભાર સોપવામાં આવેલ.
સમસ્ત રૂપારેલીયા પરિવારની કારોબારી અને ટ્રસ્ટી મંડળની જનરલ બેઠકમાં નીચે મુજબ નવા સુકાનીઓને કારભાર સોપવામાં આવેલ.
કુળદેવીમાં જગત જનની ભવાની મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને મુખ્ય ટ્રસ્ટીપદે ધારી વેપારી મહામંડળ પ્રમુખ મુકેશભાઇ વૃજલાલ રૂપારેલીયાની નિયુકિત કરાઇ હતી. ઉપરાંત ટ્રસ્ટી અને મંત્રીપદે ધારી ચોરાપા શેરીના વેપારી હિંમતભાઇ ગભરૂભાઇ રૂપારેલીયાને જવાબદારી સોપવામાં આવેલ મુખ્ય ટ્રસ્ટીપદે અમરેલીના કાળુભાઇ બચ્ચુભાઇ રૂપારેલીયા તેમજ ટ્રસ્ટીપદે દેવળા ગામના બિપીનભાઇ નંદલાલભાઇ રૂપારેલીયા વરાયા હતા.