સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત ઘટાડો

છેલ્લે નવા ૧૬ કેસ સામે ર૦ દર્દી ડિસ્‍ચાર્જ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧પ : જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લે નવા ૧૬ કેસ સામે ર૦ દર્દી ડિસ્‍ચાર્જ થયા હતાં.

સોરઠમાં કોરોના કેસ ઘટવાની સાથે લોકો મહામારી વિસરી ગયા હોય તેવું જણાય રહ્યા છે. છેલ્લે જુનાગઢ જિલ્લામાં ૧૬ વ્‍યકિતનો રીપોર્ટ પોઝીટીવ આવેલ.

જેમાં જૂનાગઢ સીટીના ૮, કેશોદમાં-વંથલીમાં બે-બે તેમજ જૂનાગઢ ગ્રામ્‍ય માળીયા, માણાવદર, અને માંગરોળમાં એક-એક કેસનો સમાવેશ થાય છે.

જયારે જુનાગઢ સીટીમાં ૧૦ દર્દી, વિસાવદર તથા જુનાગઢ રૂરલના ત્રણ-ત્રણ દર્દી, ભેસાણના બે અને માળીયા-માણાવદરના એક-એક દર્દીને ડિસ્‍ચાર્જ કરવામાં આવેલ.

(10:30 am IST)