News of Friday, 15th January 2021
જસદણના શિવરાજપુર ખાતે કુંવરજીભાઈ બાવળીયા કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમમાં જોડાશે
રાજકોટ, તા. ૧૫ :. પાણી પુરવઠા ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે બપોરના ૩.૦૦ કલાકે જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સન આલફ્રેન્સ્ટન સ્કૂલ ખાતે કિસાન સૂર્યોદય યોજના તથા ખેતીવાડી વપરાશ માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાના પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ મંત્રી સાંજે ૫.૦૦ કલાકે આંબરડી એપ્રોચ રોડના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી અમરાપુર જવા રવાના થશે.
(10:26 am IST)