સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

ભાવનગરના નિકાહ જ્વેલર્સના તાળા તોડીને રૃા. ૪.૭૦ લાખના દાગીનાની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૫ : ભાવનગરમાં સોના-ચાંદીના શો-રૃમના તાળા તોડી તસ્કરો રૃા. ૪.૭૦ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભાદેવાની શેરીમાં આવેલ રામભાઇ કિશનભાઇ ભડીયાદ્રા અને તોફીક રફીકભાઇ ઘોઘારીની માલીકીના નિકાહ જ્વેલર્સ નામના સોના-ચાંદીના શો-રૃમમાં તસ્કરો ત્રાટકી તાળા તોડી અંદર પ્રવેશી કાઉન્ટરના ખાના લોક તોડી ચાંદીની ૯૨૫ જ્વેલરીઓ જેમાં ચાંદીની વીંટીઓ, છડા, સિક્કા તેમજ સોનાની બુટી, વીંટીઓ, પેન્ડલ, ચુક વિગેરે મળી કુલ રૃા. ૪.૭૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતા.

ચોરીના બનાવની જાણ થતાં જ સી-ડીવીઝન પોલીસ એલ.સી.બી. પોલીસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પી.આઇ. કે.બી.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

(10:23 am IST)