જામનગરમાં ૧૫ લાખની ૩૨ કિલો ચાંદીની ચોરી
તસ્વીરમાં તસ્કરોએ નિશાન બનાવેલ દુકાન તથા બીજી તસ્વીરમાં પોલીસનો સ્ટાફ નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
જામનગર, તા. ૧૫ :. જામનગરની ચાંદીબજારમાંથી રૂ. ૧૫ લાખની ૩૨ કિલો ચાંદીની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલ મતવા શેરીમાં બોમ્બે રીફાઈનરી નામની સોનીની દુકાનમાં કાલે રાત્રીના છાપરૂ તોડીને તસ્કરો ત્રાટકયા હતા.
તસ્કરો દુકાનમાંથી રૂ. ૧૫ લાખની ૩૨ કિલો ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આ બનાવની જાણ થતા સોના-ચાંદીનો વ્યવસાય કરતા વેપારીએ પોલીસ ફરીયાદ કરી હતી.
ત્યાર બાદ જામનગર સીટી એ-ડિવીઝન અને એલસીબી ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તસ્કરોને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરા ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.