સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

સામખીયાળી ઇલેકટ્રોથર્મ કંપનીમાં ગેસ લીકેજથી ગુંગળાઈ જતાં કામદારનું મોત

ભુજ,તા.૧૫: સામખીયાળી હાઇવે ઉપર આવેલી ઇલેકટ્રોથર્મ કંપનીમાં ગેસ લિકેજના કારણે ૨૬ વર્ષીય કામદાર આશીષ મનસુખ જોશીનું મોત નીપજયું હતું.

મૃતક યુવાન બનાસકાંઠાના પસવાદળ ગામનો હતો અને પરિવારનો એક માત્ર પુત્ર હતો. દુર્દ્યટના એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટ માં કાર્બન મોનોકસાઈડ ગેસ છોડતી વખતે બની હતી. મૃતક એકાએક બેભાન થઈ ગયો હતો. બે બાળકના પિતાના મોતને પગલે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

ઇલેકટ્રોથર્મ કંપનીમાં ગેસ લીકેજની દુર્દ્યટનાઓ અવારનવાર બનતી રહે છે. ચર્ચા મુજબ અત્યાર સુધી ૮ કામદારોએ ગેસ લીકેજમાં જીવ ગુમાવ્યા છે.

(11:55 am IST)