સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ગોંડલ બાલાશ્રમમાં ૩૦ વર્ષથી આશરે લેનાર નાથાભાઇનું ૧૧૦ વર્ષની વયે અવસાન

ધોડાગાડી ચલાવી જીવન નિર્વાહ કરતા પરંતુ ઉંમરના કારણે શરીરે સાથ ન આપતા બાલાશ્રમમાં પનાહ લીધેલ

ગોડલ,તા.૧૫:  નગર પાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે ૩૦ વર્ષથી પણ વધુ સમયથી પનાહ લઈ રહેલ નાથાભાઈ ધોડાગાડી વાળાનું ૧૧૦ વર્ષની વયે અવસાન થતાં ચેરમેનશ્રી રાજયગુરૂ દંપતીએ પી એમ સહિતની નિયમ મુજબ કાર્યવાહી કરી અંતિમવિધી કરેલ હતી.

નાથાબાપા ગોડલ શહેરમાં ધોડાગાડી ચલાવી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહેલ હતાં પરંતુ પોતાની ઉમરના કારણે શરીર સાથ આપતુ ન હોય જેથી તેઓનેના છુટક નગર પાલિકા સંચાલિત અનાથાશ્રમમાં પનાહ લેવાની ફરજ પડેલ. હતી જયારે ફોરવિલનો જમાનો ન હતો. એ સમયે આ નાથાબાપાની ધોડાગાડી માં જુનીપેઢીના નામાંકિત ડોકટરો પણ વિઝીટ માં જતાં હતાં ત્યારે આ નાથાબાપા ધોડાગાડી વાળા ઉપરાંત ડોકટરોમાં પણ સારી એવી નામના મેળવેલ હતી અને વિશ્વાસ કેળવેલ હતો સમયને આધિન થઈ પોતાનું શરીર સાથ ન આપતાં બાલાશ્રમમાં પનાહ લઈને જીવન જીવતાં હતાં. બાલાશ્રમમાં પોતાની સારી છાપ થી ચાહના મેળવેલ હતી બાલાશ્રમ માં પણ નાથાબાપા ની ચીર વિદાયથી પોતાના આપતજન ગુમાવ્યા હોવાનો અફસોસ વ્યકત કર્યો હતો.

તાજેતરમાંજ બાલાશ્રમ દિકરીઓનો લગ્ન પ્રસંગ નજીક હોય જેથી સરકારી હોસ્પિટલ ખાતે થીજ નાથાબાપા ની અંતિમયાત્રા ચેરમેન અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરૂ એ અવવ્લ મંજીલે પહોચતા કરી પોતાની ફરજ બજાવી હતી.

(11:54 am IST)