News of Monday, 13th January 2020
નરસિંહ મહેતા યુનિ. આયોજીત NSS કેમ્પમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : ભકતકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી આયોજિત એન.એસ.એસ. કેમ્પનું આયોજન તા. ૬ જુનાગઢ ભારતી આશ્રમથી શરૂ થયેલ છે. જુનાગઢ વહીવટીતંત્રના ઉપક્રમે એનસીસી કેમ્પમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ, વકતૃત્વ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં યુવા મતદારોએ નાયબ ચૂંટણી અધિકારી તથા અન્ય અધિકારીઓ સાથે ચૂંટણી,મતદાન અંગે પ્રશ્નોત્ત્।રી તથા સાપસીડી જેવી રમત દ્વારા રસપ્રદ માહિતી મેળવી હતી.
આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત, એનએસએસ કેમ્પમાં આજના યુવાનોની ભૂમિકા તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી પર અંગ્રેજી, ગુજરાતી, અને હિન્દીમાં ગુજરાત સહિત અન્ય રાજયોના ડેલીગેટસે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
(12:59 pm IST)