સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

ઉનામાં બળાત્કારના બનાવને વખોડયો

ઉના : મોડાસા તાલુકામાં સામુહીક બળાત્કાર કરી બેરહેમીયોએ મોતને ઘાટ ઉતારી નાખતા આ બનાવને વખોડીને ઉના તાલુકા અનુસુચીત જાતિ સમાજહિતરક્ષક સમિતિની આગેવાની હેઠળ તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ બધાભાઇ વિંજુડા, પુનમચંદભાઇ ઝાલા, માધુભાઇ, વિનુભાઇ ચૌહાણ, માવજીભાઇ વાઢેર, ભાઇદાસભાઇ વાળા સહિત મોટી સંખ્યામાં અનુ.જાતિના આગેવાનો ત્રિકોણબાગ પાસે ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને શ્રધ્ધાંજલી આપી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ જઇ ગુજરાતના રાજયપાલશ્રીને લેખીત આવેદનપત્ર આપેલ. આ બનાવના આરોપીઓને તુરંત પકડી આકરામાં આકરી સજા કરવા માંગ કરી હતી. ઉના તાલુકાના ઉગમણપડા ગામે ગામના માથાભારે શખ્સ ભારતરત્ન રાષ્ટ્રપુરૂષ અંગે અપમાનજનક ઉચ્ચારો કરો અપમાનીત કરેલ તે બનાવની પોલીસમાં ફરીયાદ લખાવવા છતા પગલા લેતા નથી પગલા લેવા માંગણી કરી આવેદનઆપી રજૂઆત કરી હતી તે તસ્વીર.

(12:18 pm IST)