સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

સોમનાથમાં કૈલાસ કુંભ સંપન્નઃભારતભરના કૈલાસ યાત્રીઓ એકઠા થયાઃ અનુરાધા પૌંડવાલનું સન્માન

વેરાવળ - પ્રભાસ-પાટણ તા. ૧૩ :..  વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે યજ્ઞશ્રી  અને ભારતના સુપ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ દર્શને આવતાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેમનું સ્વાગત કર્યુ સોમનાથ ખાતે યોજાયેલ અખિલ ભારતીય કૈલાસ યાત્રી મહોત્સવમાં ભજન સંધ્યામાં સૂર રેલાવવા સોમનાથ આવેલ અનુરાધા પૌંડવાલ અને તેમના સુપુત્રી કવિતા પૌંડવાલનું સોમનાથ ટ્રસ્ટ અધિકારી સુરૂભા જાડેજા તથા જીતુપુરીબાપુએ સોમનાથ ટ્રસ્ટ વતી તેમનું ફુલગુલદસ્તા - શિવ આર્શીવાદ ઉપરણું અને મંદિર પ્રસાદી - સાહિત્ય કીટ તેઓનું સન્માન કરી અર્પણ કરી સમગ્ર કાર્યક્રમમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતી રહી અને સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી - સચિવ પ્રવિણભાઇ લહેરીનો સહકાર મળ્યો.

પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ ભગવાનના સાંનિધ્યે બે દિવસીય કૈલાસ કુંભનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મહેશ્વરી અતિથીભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ પુજારી શ્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે પધારેલા કૈલાસ યાત્રીઓ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જી. એમ. શ્રી કેમ્પમાં આવેલા આદિત્ય બિરલા હોસ્પીટલના એડમીનીસ્ટ્રેટર, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો, ભાવનગર બ્લડ ડોનેશન ટીમમાં પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ કરવામાં આવેલ. સાથે ત્રિવેણી  સંગમ ખાતે કૈલાસ માનસરોવરના યાત્રીકોએ શિવપૂજન કરી ત્રિવેણી સંગમની સમુહ (મહાઆરતી) કરવામાં આવેલ હતી. મેરામણ ગઢવી તથા વૃંદ તેમજ અનુરાધા પૌંડવાલ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. લોકડાયરામાં ઉપસ્થિત સર્વે શિવમય બન્યા હતાં. લીલાવતી અતિથીભવનથી શ્રી સોમનાથ મંદિર સુધી ધ્વજાજીની શોભાયાત્રામાં સૌ કૈલાસ યાત્રીઓ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ધ્વજાજી લઇ પધાર્યા હતાં. સમુહ ધ્વજા પુજા તેમજ ધ્વજાજી લઇ મંદિરની પ્રદક્ષિણા કરી  હતી તેમજ કૈલાસથી લીધેલ માનસરોવરના પવિત્ર જળનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સૌ કલાસ યાત્રીઓએ શ્રી સોમનાથના ઇતિહાસને ઓઝાગર કરતો લેસર શો તથા જય સોમનાથની ડોકયુમેન્ટરી દેખાડવામાં આવી હતી.

(12:11 pm IST)