સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

મોરબીના રાજપર-ચાચાપર વચ્ચે ત્રણ શખ્શોએ આધેડને માર માર્યો:જાનથી મારી નાખવા ધમકી

ત્રણ શખ્શોએ અગાઉના બોલાચાલીનો ખાર રાખી ત્રણ આરોપીએ માર માર્યો

મોરબીના રાજપરથી ચાચાપર ગામ વચ્ચે ત્રણ શખ્શોએ આધેડને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

નેસડા ખાનપર ગામના રહેવાસી ખીમજીભાઈ પ્રેમજીભાઈ માકાસણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજપરથી ચાચાપર ગામ જવાના રસ્તે રાધે રેસીડન્સ સામે આરોપીઓ ગીરીશભાઈ માવજીભાઈ રહે નેસડા, હકાભાઇ છગનભાઈ જારીયા રહે ગજડી અને ભનાભાઈ નામનો વ્યક્તિ એ ત્રણ શખ્શોએ અગાઉના બોલાચાલીનો ખાર રાખી ફરિયાદીને ઢીકા પાટું માર મારી ઈજાઓ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

(11:33 pm IST)