સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th January 2019

ધોરાજીમાં ભાગવત કથાની પૂર્ણાહુતિએ હજારો વૈષ્ણવો રડી પડયા

આચાર્ય ગોવર્ધનેશજી દ્વારા સુદામા ચરિત્ર - પરિક્ષીત મોક્ષનું ભાવવાહી વર્ણન

 ધોરાજી તા. ૧૨ : ધોરાજીના કોલેજ ચોક ખાતે ચાલતી શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં આચાર્યશ્રી પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદયના અધ્યક્ષ સ્થાને ભાગવત કથા છેલ્લા દિવસે હજારો વૈષ્ણવોની આંખમાંથી અશ્રુની ધારાવહી જોવા મળી હતી. આ સમયે કથાના મુખ્ય યજમાન શ્રી રમેશભાઈ ધડુક તેમજ કથાના વિવિધ મનોરથી યજમાનનું શાલ ઓઢાડી શ્રી દાસીજીવણ સત્સંગ મંડળના કાર્યકર્તાઓ તેમજ vyo ના કાર્યકર્તાઓએ સન્માન કર્યું હતું આ સમયે પરમ પૂજય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રી એ કથા દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો મહત્વ તેમજ દરરોજ વિવિધ મનોરથો ઉજવવામાં આવતા હતા અને કથાના છેલ્લે દિવસે સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ વિવિધ પ્રસંગો વર્ણવવામાં આવેલ હતા આ સમયે ભાગવત કથા નો મર્મ સમજાવતા પૂજય શ્રી ૧૦૮ ગોવર્ધનેશજી મહોદાયશ્રી એ ભાગવત ની સાથે જીવનની અંદર પણ આપણે જો શાંતિ જોતી હોય તો ભાગવત સત્સંગ મહત્વનો છે. આ માટે દરેક વૈષ્ણવોએ કળિયુગની અંદર વધુ ભગવત સ્મરણ કરવું જોઈએ વિદાય લેતી વખતે આપશ્રીની આજ્ઞાથી ખૂબ જ ભાવભીનું વાતાવરણ જોવા મળ્યુંહતું ત્યારે ગોસ્વામી ગોવર્ધનજી મહોદયશ્રી ની આંખ માંથી અશ્રુની ધારા વહી ગઈ તી આ અમૂલ્ય અવસરે વૈષ્ણવો પણ રડી પડ્યા હતા ફરી આ જ વિસ્તારમાં ભાગવત કથા થાય એવો સંકલ્પ પણ વૈષ્ણવોએ લીધો હતો આજના કથા મહોત્સવમાં શ્રી કિશોરભાઈ રાઠોડ નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડાઙ્ગ વિગેરેનુંઙ્ગ પૂજયશ્રી દ્વારાઙ્ગ સન્માન કરવામાં આવેલ હતુંઙ્ગ તેમજઙ્ગ ગોંડલનાઙ્ગ મુખ્ય દાતા શ્રી રમેશભાઈ ધડુકનોઙ્ગ પૂજય ગૌસ્વામી તેમજઙ્ગ ધોરાજી દાસીજીવણ સત્સંગ મંડળ દ્વારાઙ્ગ સ્વાગત કરવામાં આવેલ હતુંઙ્ગ તેમજ દાસી જીવણ સત્સંગ મંડળ શ્રી નીતિનભાઈ જાગાણી પ્રમોદભાઈ રાખોલીયા પરસોત્ત્।મભાઈ ગુંદરણીયા ભોલાભાઈ તળાવીયા વિઠલભાઈ ધડુક બાબુભાઈ જાગાણી કૌશિક ભાઈ વૈષ્ણવ અશોકભાઈ હિંસુ, સંજયભાઈ રૂપારેલીયા, પ્રવીણભાઈ ઘોડાસરા, મિતેશભાઈ ઠકરાર, અતુલ ભાઈ વસોયા વિગેરે આયોજન સમિતિનું પણ સન્માન કરવામાં આવેલું હતું.

આ સમયે કથાનું સંચાલન ભાવનાબેન બાલધા એ સુંદર રીતે કરેલું હતું કથા દરમિયાન ધોરાજી, ગોંડલ, જેતપુર, જામકંડોણા, ઉપલેટા ગામોમાંથી વૈષ્ણવ ઉમટી પડ્યા હતા તેમજ ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા શહેર ભાજપના અગ્રણીઓ વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપીયા, અરવિંદભાઈ વોરા, લલીતભાઈ વોરા, રણછોડભાઈ કોયાણી, રાજુભાઈ એરડા, ભટ્ટભાઇ , રાદડીયાભાઇ વિગેરે અગ્રણીઓનું સન્માન કરવામાં આવેલ હતું.

ઙ્ગસમગ્ર ભાગવત કથા દરમિયાન જે લોકોએ સેવા બજાવેલી તેવા તમામ વૈષ્ણવોનું શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ વતી પ્રમોદભાઈ રાખોલીયા બાબુભાઈ જાગાણી નીતિનભાઈ જાગાણી તેમજ સંજયભાઈ રૂપારેલીયા વિગેરે આયોજક સમિતિએ તમામ લોકોનો તમામ અધિકારીઓનો તમામ રાજકીય લોકોનો આભાર માનેલ હતો. કથા દરમિયાન ગુજરાતભરમાંથી પૂજય ગોસ્વામી ૧૦૦૮ શ્રી હરિરાયજી મહોદયશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ વૈષ્ણવોને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ગુજરાતભરમાંથી વલ્લભ કુળ ના બાલકો પધાર્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા.

 

(11:57 am IST)