News of Saturday, 14th December 2019
ચોટીલાના ઝીંઝુડાના વીર જવાન વનરાજભાઇ દેગામા જમ્મુ-કાશ્મીરમાં શહીદ
વઢવાણ-ચોટીલા, તા. ૧૪ : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના વીર જવાન વનરાજભાઇ દેગામા શહીદ થતા ઘેરો શોક છવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઝીંઝુડા ગામના વીર જવાન વનરાજભાઇ કાનાભાઇ દેગામા દેશની રક્ષામાટે જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા હતાં. આ દરમિયાન વીર જવાન શહીદ થતાં નાના એવા ગામમાં ઘેરોશોક છવાયો છે.
તેમના પાર્થિવ દેહને કાલે તેમના વતન ઝીંઝુડા લાવવામાં આવશે અને અંતિમવિધિ નીકળશે.
(1:29 pm IST)