સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th December 2019

સુરેન્દ્રનગરમાં છુટાછેટા પ્રકરણમાં ફાયરીંગ

વઢવાણ,તા.૧૪: સુરેન્દ્રનગર શહેરમાં નવા જંકશન વિસ્તારમાં આવેલ વિવેકાનંદ બે નંબરમાં રહેતા તલાટી ના દ્યરે પુત્રીના લગ્ન બાદ છુટાછેડા કરાયેલા હોવા છતાં છોકરા વાળાઓએ તલાટી ના દ્યરે આવી અને બબાલ કરી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં કાયદો-વ્યવસ્થા ખાડે ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે રાત્રિના સમયે વિવેકાનંદ બેમાં છોકરાઓ વાળા આવી અને તલાટી ના દ્યરે પુત્રીના મામલામાં બબાલ કરી અને દ્યાતક હથિયારો પણ સાથે લાવી હુમલો કરવાની પેરવી પણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ખાનગી રાહે હવામાં ફાયરિંગ પણ થયું હોવાની લોકો ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલમાં પોલીસ સૂત્રો દ્વારા આ દ્યટનામાં કોઇ સમર્થન મળતું નથી ત્યારે વિવેકાનંદ બેમાં આ દ્યટનામાં લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે પોલીસે આ દ્યટનામાં તપાસ કરે તો સાચી વિગતો પણ બહાર આવી શકે તેમ છે.

(1:27 pm IST)