સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

જસદણના ખડવાવડીમાં શાંતાબેન કોળીનો અગ્નિસ્નાન કરી આપઘાત

રાજકોટ તા. ૧૪: જસદણના ખડવાવડી ગામે રહેતાં શાંતાબેન સવાભાઇ પલાડીયા (ઉ.૫૦) નામના કોળી મહિલાએ ગઇકાલે ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી જસદણ પોલીસને મોકલ્યા છે. કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)