News of Thursday, 14th December 2017
જસદણના ખડવાવડીમાં શાંતાબેન કોળીનો અગ્નિસ્નાન કરી આપઘાત
રાજકોટ તા. ૧૪: જસદણના ખડવાવડી ગામે રહેતાં શાંતાબેન સવાભાઇ પલાડીયા (ઉ.૫૦) નામના કોળી મહિલાએ ગઇકાલે ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી જસદણ પોલીસને મોકલ્યા છે. કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:38 am IST)