સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ભાવનગરના ગરાસીયા પરિવારની ઝાયલો ગાડીએ રાજકોટમાં પલ્ટી ખાધીઃ ૪ને ઇજા

ટ્રાન્સ્પોર્ટના વ્યવસાયી રામદેવસિંહ ગોહિલ, તેમના પત્નિ, પુત્રી, સાઢુભાઇ જામનગરથી લગ્ન પતાવી પરત આવતા'તા ત્યારે મોરબી રોડ પર બનાવ

રાજકોટ તા. ૧૪: ભાવનગરના ટ્રાન્સપોર્ટર ગરાસીયા પરિવારની ઝાયલો કાર રાજકોટમાં મોરબી રોડ પર પલ્ટી ખાઇ જતાં દંપતિ, પુત્રી સહિત ચારને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ ભાવનગર કાળીયા બીડ શાંતિનગરમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતાં રામદેવસિંહ ગંભીરસિંહ ગોહિલ (ઉ.૪૫), રાજેશ્વરીબા રામદેવસિંહ ગોહિલ (ઉ.૪૦), પુત્રી કૃપાલીબા રામદેવસિંહ ગોહિલ (ઉ.૧૫) અને સાઢુભાઇ કિશોરસિંહ સહિતના આઠ લોકો ઝાયલો કાર લઇને જામનગર કામ સબબ ગયા હતાં. ત્યાંથી સાંજે પરત ભાવનગર જતી વેળાએ મોરબી રોડ રેલ્વે પુલ પાસે કાર પલ્ટી ખાઇ જતાં ચારેયને ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી ખાનગીમાં લઇ જવાયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. હિતુભા ઝાલા અને હંસરાજભાઇ ઝાપડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:33 am IST)