ગારીયાધારમાં ચોરીનું પ્રમાણ વધતા રાત્રીના રખડતા શકમંદોની પુછપરછ કરવી જરૂરી
ગારીયાધાર, તા., ૧૪: છેલ્લા ત્રણ માસમાં શહેરના જુના વિરડી રોડ, સમ્રાટ સિનેમા પાછળ અને દેવલાપરા વિસ્તારમાં મળીને ઘરફોડ ચોરીના બનવા પામ્યા છે. જેના કારણે શહેરીજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. જયારે આટલી બધી ઘરફોડ ચોરીના બનાવો બનવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોયા મળી રહયું છે.
શહેરના મધરાત્રીના અનેક વિસ્તારોમાં રખડતા-ભટકતા અને શંકાશીલ માણસોની અવરો-જવરો થઇ રહી છે જે બેરોકટોક રીતે મધરાત્રીના ભટકતા હોવા છતાં તેના સામે કાર્યવાહી કે પુછપરછ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે.
મધરાત્રીના કામ વગર વાવ પ્લોટ, નવાગામ રોડ, સુખનાથ પ્લોટ, પરછેગામ રોડ, દેપલાયજ્ઞ અને એસટી સ્ટેશન નજીક લુખ્ખા તત્વો પોતાનો અડ્ડો જમાવી બેસી રહેતા જોવા મળે છે જેની સામે પણ કડકાઇથી કામ લેવું જરૂરી છે.