સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

ભાવનગરથી સોમનાથ હાઈવેની કામગીરી બે-ત્રણ મહિનાથી ઠપ્પ :બે વર્ષ પછી પણ અડધો ય બન્યો નથી : ભારે હાલાકી

 

ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવેનું મોટા ઉપાડે સોમનાથથી ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં હાઈવેનુ કામ પુરુ કરવાની વાત હતી.પરંતુ બે વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા છતાં ૫૦ ટકા કરતા પણ ઓછું કામ થયું છે છેલ્લા બે ત્રણ મહિનાથી રોડની કામગીરી સાવ ઠપ્પ થઇ ગઇ છે.જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે રોડની  કામગીરી જલ્દી પૂરી થાય તેવી લોક માંગ ઉઠી છે.

(11:08 pm IST)