કાલથી ગોંડલ સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં મેદાનમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ
ગોંડલ તા.૧૪: પ્રતાપગીરી મહારાજગીરી ગોૈસ્વામી દ્વારા આયોજીત તા.૧૫-૧૧-૧૮થી તા.૨૩-૧૧-૧૮ દરમ્યાન સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં ગ્રાઉન્ડમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે.
જેમાં કથા વ્યાસાસને સુપ્રસિદ્ધ શિવ ઉપાસક પ.પૂજય શ્રી કાળુગીરી બાપુ ગોૈસ્વામી (અમદાવાદ) પોતાની સુમધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેનો સમય બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યાનો રાખેલ છે. આ પ્રસંગે તા.૧૫-૧૧ના રોજ બપોરે ર કલાકે વેરાઇ હનુમાન મંદિરેથી પોથીયાત્રા નીકળશે.
આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન તા.૧૫-૧૧-થી ૨૩-૧૧ દરમ્યાન બપોરે ૩ થી પ દરમ્યાન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં હોમિયોપેથીક ડો. હિતેશ નિર્મળ સેવા આપશે જેમાં શ્વાસના રોગો, અન્નમાર્ગના રોગો, માનસિક નબળાઇ, સાંધાના રોગો, ચામડીનાં રોગો વગેરેનું નિદાન કરવામાં આવશે આનું સ્થળ સરદાર કોમ્પલેક્ષ જેતપુર રોડ ગોંડલ ખાતે રાખેલ છે. તો સર્વે લોકોને આ ધાર્મિક તથા નિદાન કેમ્પનો લાભ લેવા પ્રતાપગીરી ગોૈસ્વામીનું જાહેર આમંત્રણ છે.