News of Wednesday, 14th November 2018
ઉપલેટા સ્વામીનારાયણ મંદિરમાં અન્નકુટ દર્શન : ભાવિકોનો ધસારો
ઉપલેટા, તા. ૧૪ : ખાખીજાળીયા રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામીનારાયણને મહાભોગ અન્નકોટ ધરવામાં આવેલ હતો. આ અંગે મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી ધર્મનંદનદાસજી તથા પૂજારીશ્રીજી શરણદાસજીએ જણાવેલ હતું કે દર વર્ષ ભગવાનને અન્નકુડ ધરવામાં આવે છે. ઉપલેટા અને ઉપલેટાના આજુબાજુના ગામોમાં ભગવાન સ્વામીનારાયણે ભ્રમણ કરેલ હોય આ વિસ્તારમાં અસંખ્ય હરિભકતો છે. બેસતા વર્ષ સવારે આરતી સાથે અન્નકોટના દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ જે સાંજે ૭:૦૦ વાગ્યાની આરતી બાદ પૂરા થયેલ હતા અને દરમ્યાન અન્નકોટના દર્શન કરવા ભાવિકો-હરિભકતોનો ધસારો થયેલ હતો.
આ અન્નકોટના કાર્યક્રમ દર્શનથી લઇને વ્યવસ્થા સુધીના
(12:07 pm IST)