સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

જામનગર હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં મોમાઇ ગરબીમાં અવનીબેન જુલન શાહ પરિવાર દ્વારા હવનાષ્ટમી નિમિત્તે આરતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૪ : જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં છેલ્લા ૬૦ વર્ષથી મોમાઈ ગરબી મંડળ ચાલી રહ્યું છે. આ ગરબીના સંચાલક પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા અને જગદીશભાઈ રાઠોડ તેમની ટીમ સાચે સતત સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તે માટે નાની નાની બાળાઓ ગરબે ઘૂમે છે. મોમાઈ ગરબી મંડળમાં ખાસ માં ખોડિયારની સાત બેનડીઓ સાથેનો દર્શન રાસ, મસાલ રાસ, દીવડા રાસ અને અવનવા પ્રાચીન તેમજ અર્વાચીન રાસ યોજાય છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો પણ આવે છે. ગઈકાલે ખાસ આઠમ નિમિત્તે શ્રીમતી અવની જુલન શાહ પરિવાર દ્વારા ગરબીમાં ખાસ હવનાષ્ટમીની આરતી ઉતારવામાં આવી હતી (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:09 pm IST)