જે ભગવાન ગૃપ કોલીથડમાં ઘોડીરાસ
(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૪ : ખીરસરા ગામ ના રામજી મંદિર ચોકની પ્રાચિન ગરબી મંડળમા સાતમે નોરતે કોલીથડ ગામના જે ભગવાન ગૃપ દ્વારા ઘોડીરાસ રજુ કરવામાં આવેલ ખીરસરા ગામ ના તમામ લોકોએ માતાજીની આરાધના સ્વરૂપે નવરાત્રી મહોત્સવમા આ જે ભગવાન ગૃપ કોલીથડના ઘોડીરાસ માણેલ તેમજ અદ્યાશકિત ફાળો નોંધાયેલ આ ફાળાની રકમ જે ભગવાન ગૃપને અર્પણ કરેલ તેમજ જે ભગવાન ગૃપ દ્વારા ધોડીરાસ ની ફાળાની રકમ કોલીથડ ગામની ગરબી મંડળ ની બાળાઓની લાગણીમા ઉપયોગ લેવામાં આવશે તેમ જાણવેલ આ જે ભગવાન ગૃપમાં કિશન ધરજીયા અક્ષય સરવૈયા કલ્પેશ સરવૈયા અશ્વિન સોલંકી સુનિલ માજુસા કિશન ડાભી અંકિત રાઠોડ મહેશ દુમાદિયા કિશન ઠાકોર વિસાલ સીયાળ મયુર ચાવડીયા અમીત ધાડવી રાહુલ સોલંકી જયદિપ ધોરીયા નિલેશ ધાડવી અંકિત સરવૈયા અજીત ઠાકોર લાલજી શીયાળ વિશાલ બતાળા વિગેરે આ જે ભગવાન ગૃપ કોલીથડના ઘોડીરાસમાં ખેલ્યા તરીકે તેમજ મયુર સિંધવ રવી સરવૈયા રમેશ માલકીયા વિગેરે આ જે ભગવાન ગૃપ નું સંચાલન કરી નવરાત્રી ધાર્મિક પ્રસંગો શુભ પ્રસંગોમાં પોતાના ગૃપ દ્વારા ઘોડીરાસ રજુકરી અથા શકિત ફાળો એકત્રિત કરી જરૂરીયાત પ્રમાણે સારા કાર્યોમાં ખર્ચ કરે છે.