સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th September 2019

બાબરા પરિશ્રમ વિદ્યાલયમાં મંજુરી વગર ચાલતુ ધો.૧૦નું શિક્ષણ કાર્ય ઝડપાયું: શાળા સંચાલક સામે તંત્ર દ્વારા ફરિયાદ

બાબરા, તા.૧૩: બાબરાના વાંડળીયા રોડ સ્થિત ખાનગી શાળામાં વગર મંજુરી થી ધો .૧૦ નું માધ્યમિક શિક્ષણ કાર્ય શરૂ હોવાનું અને વિદ્યાર્થી તેમજ વાલી સાથે વિશ્વાસઘાત થતો હોવાનું જણાવી શિક્ષણ વિભાગે પોલીસમાં રાવ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

માહિતી મુજબ પરીશ્રમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામક સંકુલમાં સંચાલક કલ્પેશ જે ભુવા દ્વારા પોતાની શાળામાં માધ્યમિક ની મંજુરી નહી હોવા છતા વિદ્યાર્થી તેમજ વાલી ઓને વિશ્વાસ સાથે ચેડા કરી વિદ્યાર્થી ને એડમીશન આપી શિક્ષણ કાર્ય ચલાવવા માં આવતું હોવાની બાતમી આધરે તંત્રના ઘનશ્યામભાઈ સોલંકી એ પોલીસ માં તેમના વીરૂધ્ધ ઈ.પી.કો.ક ૪૦૬,૪૨૦ મુજબ બાબરા પોલીસ માં ફરિયાદ કરતા તપાસના ચક્રો ગતિમાન થયા છે.

(1:05 pm IST)