પોરબંદર કિર્તી મંદિર પાસે સુશોભન લાઇટોની નબળી કામગીરી
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજયંતિ ની ઉજવણી થઈ રહી છે ૨જી ઓકટોબરે રાષ્ટ્રપિતા ના કીર્તિમંદિરના પટાંગણમાં સર્વધર્મ પ્રાર્થનાસભા પ્રતિવર્ષ કરવામાં આવે છે. કેન્દ્ર ના વડાપ્રધાનશ્રી કે રાજ્ય સરકાર ના મુખ્યમંત્રીશ્રી કે અન્ય પ્રજાના પ્રતિનિધિ મંત્રીશ્રી ઓ સંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રી સમય અનુસાર હાજરી આપે છે. રાષ્ટ્રપિતાની જન્મભૂમિ ને શીશ નમાવે છે અને લોકો અહીં પૂ.બાપુ ના જીવન ના એક-એક પ્રસંગો ને મહેસૂસ કરે છે તે પ્રસંગો ને યાદ કરી ને સાર્થકતા અનુભવે છે. આ હકીક ની નોંધ સરકારે લીધી અને તેને અનુરૂપ રાજ્યસરકારના પ્રવાસન વિભાગ દ્વારા માણેક ચોક ના ઉત્તર તાક થી શીતલા ચોક સુધી એટલે કે, શ્રીનાથજી ની હવેલી ,કીર્તિમંદિર, કીર્તિમંદિર- પોલીસસ્ટેશનને આવરી લઇ ને સુશોભન માટે ઇલેકિટ્રક પોલ લાઇટ ફિટ કરવામાં આવેલ છે. હજુસુધી વીજ પુરવઠા નું જોડાણ કરી અને કાર્યરત કરેલ નથી તે પેહલા જ રોશની ધરાવતા વીજ પોલ ની નબળી કામગીરી દેખાય છે.અને નબળી કામગીરી દર્શાવતી તસવીરો.( તસવીર અહેવાલ સ્મિત સી. પારેખ યુવા પત્રકાર પોરબંદર.)