જામનગરમાં ૬૫ વર્ષના લક્ષ્મીબેન તારપરાની હત્યાથી હાહાકાર
રાત્રીના લૂંટના ઈરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણઃ હત્યા કરનારા શખ્સોની શોધખોળ
તસ્વીરમાં મૃતક મહિલાનો મૃતદેહ, તેમનું મકાન તથા પોલીસ ટીમ તપાસ કરતી નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
જામનગર તા.૧૪ :. જામનગરમાં ૬૫ વર્ષના લેઉવા પટેલ મહિલાની હત્યા થતા હાહાકાર મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શ્યામ ગ્રીન ટાઉનશીપમાં રહેતા લેઉવા પટેલ લક્ષ્મીબેન કરમશીભાઇ તારપરા (ઉ.વ.૬૫)નો મૃતદેહ રાત્રીના ૩:૩૦ વાગ્યા આસપાસ ઠેબા ચોકડી પાસે, રાધીકા સ્કૂલ પાછળથી મળી આવ્યો હતો.
જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં વૃદ્ધાની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા કરનાર શખ્સોને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
મોડી રાત્રીના આ ઘટનાની જાણ થતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે અને ૬૫ વર્ષના વૃદ્ધાની હત્યા કરનારને ઝડપી લેવા કવાયત શરૃ કરી છે.