સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

જામજોધપુર માર્કેટયાર્ડની ચુંટણી માટે ૬પ ફોર્મ ભરાયા

જામજોધપુર, તા.૧૪: માર્કેટીંગ યાર્ડની ચુંટણી તા.ર૪ના રોજ યોજાનાર છે. તા.૧રના રોજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થતા કુલ ૬પ ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે.જેમાં ખેડુત વિભાગમાંથી ૪૭, ઉમેદવારો, વેપારી પેનલમાં ૧૧ તથા ખરીદ-વેચાણ સંઘમાંથી કુલ ૭ ફોર્મ રજુ થયા હતા. આ વખતે માર્કેટયાર્ડની ચુંટણી રસાકસીભરી બનશે. સંભવત ત્રીપાંખીયોજ જંગ થશે. ચુંટણી બાદ તા.રપના રોજ પરિણામ જાહેર થશે. (૧૧.૬)

(12:33 pm IST)