લોધીકાના ખીરસરામાં લાખાભાઇ સાગઠીયા પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ
ખીરસરા : ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના પરિવાર દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી ભાદરવા સુદ ચોથના દિવસથી ગણપતિની સ્થાપના કરી ઉજવણી છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવે છે. જેમાં વિઘ્નહર્તાની શોભાયાત્રા કાઢી મૂર્તિ સ્થાપના કરવામાં આવેલ છે અને આખો દિવસ ભકતજનો ગજાનંદ ગણપતિના દર્શનનો લાભ લેશે. નવ દિવસની સ્થાપના રાખવામાં આવેલ છે. સવાર સાંજ આરતી સત્સંગની ગોઠવણી કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ધામધુમથી મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં તાલુકા પ્રમુખ લોધીકા પંચાયત અનિરૂદ્ધસિંહ ડાભી જાણીતા હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા ખીરસરાના કિશોરસિંહ ઝાલા, ઉપસરપંચ મુકેશભાઇ માવજીભાઇ ચનાભાઇ મકવાણા, ધર્મેશભાઇ સરવૈયા, ભાવેશભાઇ રાઠોડ ભાજપ અગ્રણી મોહનભાઇ, સંજયભાઇ, લખમણભાઇ, મુકેશભાઇ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)