સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

માળીયા મીયાણાના રામશીંગપર માં વાડીએ સર્પે દંશ મારતા દેશાબેન ભુરીયાનું મોત

પીઠડીયામાં વાડીએ ઝેરી જનાવર કરડતા જમનાબેન નું મોત

રાજકોટ તા ૧૪ : માળીયા મીયાણાના રામશીંગપર પાસે વાડીએ સર્પે દંશ મારતા આદીવાસી મહિલાનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમયાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ દાહોદના વતની અને છેલ્લા ઘણા સમયથી માળીયા મિયાણાના રામશીંગપરમાં મંજુલાબેન ચંદુભાઇની વાડીએ મજુરી કામ કરતા દેશાબેન ચનાભાઇ ભુરીયા (ઉ.વ.૩૫) ગઇકાલે વાડીએ મજુરી કામ કરતા હતા ત્યારે સર્પે દંશ મારતા ઝેરી અસર થતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે માળીયા પોલીસે કાર્યવાહી કરી હતી.

પીઠડીયામાં ઝેરી જનાવર કરડતા મહિલાનું મોત

કાલાવડના પીઠડીયા-૩ માં ભાવેશભાઇ ગાંડુભાઇ કપુરસયાની વાડીએ રહેતા જમનાબેન નરેશભાઇ (ઉ.વ.૩૦) ગઇકાલે વાડીએ કામ કરતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંતેનુંસારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે કાલાવડ પોલીસે કાર્યવાહી કરી હતી. (૩.૫)

(12:18 pm IST)