સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ધોરાજીમાં તસ્કરોનો તરખાટ યથાવતઃ પાનની દુકાનમાંથી ૨૫ હજારની ચોરી

ધોરાજી તા ૧૪ : શહેરના મધ્ય ભાગમાં ભીડભાડવાળા મુખ્ય ચોકમાં પાનની દુકાનમાં પાછળનો દરવાજો નકુચા તોડીને થડામાં રહેલ ૨૫,૦૦૦/- જેવી રોકડ રકમની ચોરી થઇ હોવાની દુકાનદાર કાસમભાઇએ કેફીયત આપી હતી. ધોરાજીમાં ગણતરીના દિવસોમાં જમનાવડ રોડ, જેતપુર રોડ, ઓૈદ્યોગીક એકમોમાં ચોરીની ઘટનાની ઉપરા ઉપરી હારમાળા યોજાઇ છે પાપડના કારખાના બાદ ફાર્મસી પ્લાસ્ટીક અને ગત રોજ ભર બજારે શહેરની મધ્યમાં દુકાનમાં ચોરીના બનાવથી કાયદો વ્યવસ્થાની સ્થીતી પર સવાલ  ઉભા થયા છે. હાલ ધોરાજીમાં પોલીસ થી વધારે તસ્કરોનું પેટ્રોલીંગ વધ્યું હોય તેમ જણાઇ રહ્યું છે.

 

(12:13 pm IST)