સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

ટંકારા નવયુગ શૈક્ષણિક સંકુલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.

ટંકારાના વીરપર નજીક આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ લગાવી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે પ્રસંગે તમામ વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.

 

(12:04 am IST)