સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ.

મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ વીરપર મુકામે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઉપરાંત કોલેજ વિધ્યાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
જન્માષ્ટમી ઉજવણીમાં વસુદેવ દ્વારા બાલ કૃષ્ણને ટોપલીમાં મૂકી શોભાયાત્રા યોજવામાં આવી હતી અણ બાલમુકુન્દની આરતી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડિયા દ્વારા કરવામાં આવી હતી જુદા જુદા આઠ વિભાગના દરેક કાનુડા દ્વારા મટકી ફોડ અને પીરામીડ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ ધામધૂમથી ઉજવાયો હતો.

(8:37 pm IST)