સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં તિરંગો લહેરાવ્યો

પ્રભાસ પાટણ : સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને ધર ધર ઉપર તિરંગો લહેરાવવો સહિત સમગ્ર દેશ આજ આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે  રાષ્ટ્રભક્તિ ના રંગે રંગાયેલ છે ત્યારે વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમા દ્વારા પોતાના ખેતરમાં તિરંગો લહેરાવ્યો છે ઉપર આકાશ મા વાદળા અને નિચે લીલી છમ હરીયાળી અને પવન ના સુસવાટા થી રાષ્ટ્રધ્વજ લહેરાઇ રહેલ છે જે તસ્વીર માં નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે

(12:31 pm IST)