આઠ કરૂણા એમ્બ્યુલન્સ અર્પણ કરતા કુંવરજીભાઇ
બાબરા :.. જસદણ મુકામે પશુપાલન કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા રાજકોટ, અમરેલી સહિત જીલ્લાઓમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવાઇ હતી આ તકે અમરેલી જીલ્લામાં આઠ એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. જેમાં બાબરાના ખંભાળા સહિત જીલ્લા આઠ તાલુકામાં એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. બાબરાના કરીયાણ ચોકડી ખાતે બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઇ રાઠોડ, બાબરા તાલુકા ભાજપના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા, જીલ્લા ભાજપ અગ્રણી ભુપેન્દ્રભાઇ બસીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનભાઇ મલકાણ, વાલજીભાઇ ખોખરીયા, લલીતભાઇ આંબલીયા, ભુપતભાઇ બસીયા, દેવશીભાઇ મારૂ, વિપુલભાઇ કાચેલા, કીરીટભાઇ બગડા, અશોકભાઇ માંજરીયા, સંદીપભાઇ રાદડીયા સહિત આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની આ કામગીરીને આવકારી હતી. (દિપક કનૈયા)