સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th August 2020

વેરાવળ પંથકના 'ગાગડીયાના જળધોધ'નું ભારે આકર્ષણ

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાના સવની અને મંડોર ગામની વચ્ચેથી હિરણ નદી પસાર થાય છે. ત્યાં પ્રાચીન ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે અને મંદિરને અડીને હિરણ નદી પસાર થાય છે ત્યાં આ સુંદર મજાનો ધોધ આવેલ છે. જે ખુબ જ આકર્ષક છે. આ ધોધને જોવા માટે લોકોનો મોટો ઘસારો જોવા મળે છે. અત્યારે ચોમાસાની સીઝનમાં હિરણ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ ધોધ ખુબ જ રમણીય-મનમોહક લાગે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(3:50 pm IST)