૧પ ઓગસ્ટના સવારે ૯llથી
દેવભૂમિ જિલ્લા શિક્ષણાધિકારી તથા પ્રાથમિક માધ્યમિક શિક્ષકો તથા સ્ટાફ દ્વારા ચાર સ્થળે રકતદાન કેમ્પ
ખંભાળીયા તા. ૧૭ : હાલ સમગ્ર રાજયમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે હાલારના જામનગર અને દ્વારકા બન્ને જીલ્લામાં રકતદાન કરવા માટે ખુબ જરૂરત ઉભી થઇ હોય દેવભુમી જિલ્લાના શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરના સુચનાથી તથા તેમના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જી.વી.જે. હાઇસ્કુલ ખાતે, ભાણવડમાં ઘેલાણી હાઇસ્કુલ ખાતે કલ્યાણપુરમાં મોડેલ સ્કુલ કલ્યાણપુર ખાતે તથા દ્વારકામાં હિરજીબાપા સનાતન આશ્રમ શાળા ખાતે તા.૧પ/૮/ર૦ ના સવારના ૯ાા વાગ્યાની રકતદાન કેમ્પ યોજાયો છે.
આ રકતદાન કેમ્પમાં ભેગુ થનાર રકત ખંભાળિયા-જામનગરની સરકારી બ્લડ બેંક તથા અન્ય બેંકોના જરૂરત મંદો તથા થેલેસેમિયા દર્દીને આપવામાં આવશે.
કેમ્પમાં દરેક રકતદાતાને ખંભાળિયાના કમલેશભાઇ વિઠ્ઠલાણી તરફથી તેમના પિતાની સ્મૃતિમાં આકર્ષક મોબાઇલ ભેટ આપવામાં આવશે. તો દ્વારકા જિલ્લાના પ્રાથમીક, માધ્યમિક શિક્ષકો તથા સ્ટાફે ભાગ લેવા અપીલ કરાઇ છે.