છાપરવાડી-૨ ડેમ ઓવરફ્લો થતા નવા નિરના વધામણા કરતા જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ સોલંકી
જેતપુર તાલુકાના વીરપુર પંથકના વાળાડુંગરા અને જેતપૂર પાસે આવેલ છાપરવાળી-૨ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફલો થયો હતો, છાપરવાડી -૨ ડેમ સિંચાઈ માટે બનેલ આ ડેમના પાણીથી લુણાગરા, મેવાસા, પ્રેમગઢ, કેરાળી વગેરે ગામોના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટે ખોલવામાં આવ્યા હતા,જેમના નવા નિરના વધામણા કરવા જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ સોલંકી, જેતપુર તાલુકા વિકાસ અધિકારી નિશાંત કુગસિયા, વાળાડુંગરાના સરપંચ રોહિતભાઈ સોલંકી, છાપરવાળી-૨ ડેમના સેકશન ઓફિસર જાદવ સાહેબ, જેતપુર તાલુકા પંચાયત કચેરી બાંધકામ શાખા કલાર્ક ઝાલાબાપુ તેમજ આજુબાજુ ગામના ગ્રામજનોએ તેમજ ખેડૂતોએ છાપરવાળી-૨ ડેમ ઓવરફ્લો થતા નવા નિરના વધામણાં કર્યા હતા.