સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ટંકારામાં પાણીમાં ફસાયેલા ૪૩ લોકોને બહાર કાઢનાર દેવદૂત પૃથ્વીરાજસિંહ જાડેજાનું રાજવી પરિવાર દ્વારા સન્માન

ટંકારા તા.૧૪ : ધ્રુવનગરના રાજવી પરિવાર દ્વારા દેવદુત પૃથ્વીરાજસિંહ જાટંકારા તાલુકાના રાજવી પરિવાર ધ્રુવ કુમાર સિંહ જાડેજા પરિવાર તથા ટંકારા પડધરી અને મોરબી ના તાલુકા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા દેવદૂત પૃથ્વીરાજસિંહ જાડેજા નું સન્માન કરાય

ટંકારામાં ભારે વરસાદના કારણે પૂરના પાણીમાં ફસાયેલા ૪૩ લોકોના સલામત રીતે પોલીસ તંત્ર તથા મામલતદાર તંત્ર દ્વારા બહાર કઢાયેલ તેમાં પોતાના ખભા પર બેસાડી દીધી પૃથ્વીરાજસિંહ જાડેજા ને બાળકોને છાતી સમા પાણીમાં એક કિલોમીટર ચાલીને બચાવેલ રાજવીર પરિવારના ધ્રુવકુમાર સિંહ જાડેજા દ્વારા પુથ્વીરાજ સિંહ નું સન્માન કરેલ અને શુભેચ્છાઓ આપેલ

આ -સંગે ટંકારા રાજપૂત સમાજના -મુખ પદુમન સિંહ જાડેજા રૂપસિંહ ઝાલા મોટા ખીજડીયા ના જયરાજ સિંહ ઝાલા નેકનામ ના સજન સિંહ ઝાલા નેકનામ ના આર વી ઝાલા જોધપર ઝાલા રામદેવ સિંહ ઝાલા મેઘપર ઝાલા હઠુભા ઝાલા લજાઈ ના દિગ્વિજયસિંહ જાડેજા મીતાણા જયરાજસિંહ ઝાલા નાના રામપર ના વિ.કે ઝાલા  તથા મોરબી તથા પડધરી તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા સન્માન બદલ આભાર વ્યકત કરી મારી ફરજ બજાવેલ તેમ જણાવેલ હતુ.

(1:38 pm IST)