ભાવનગરમાં ચાર વર્ષ પહેલા થયેલા ખૂના બનાવની જૂની અદાવતમાં ફરી ખૂની હૂમલો
ભાવનગર તા. ૧૪ :.. ભાવનગરમાં ચાર વર્ષ પહેલા ખુન કરનાર આઘેડ ઉપર તલવાર છરી વડે હૂમલો કરી બે શખ્સો નાસી છૂટયા હતાં.
બનાવની વિગતો એવી છે કે જોગીવાડની ટાંકી મફતનગર વિસ્તારમં અકબરમીંયા નીઝામમીયા સૈયદ ઉ.પ૦ ઉપર જાસાટમીયા યુસુફમીયા સૈયદ અને મહંમદમીંયા નાઝીરમીયા સૈયદ નામનાં બે શખ્સો એ ગાળો આપી તલવાર અને છરી વડે હિચકારો હૂમલો કરી નાસી છૂટયા હતાં. અકબરમીયાને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ સી. ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
ઇજા પામનાર અકબરમીયા સૈયદ એ ચાર વર્ષ પહેલા આરોપી મહંમદમીયાનાં પિતા નાઝીરમીયા સૈયદનું ચાર વર્ષ પહેલા ખુન કર્યુ હતું. અને આજે રસ્તામાં ભેગા થઇ જતાં જુની અદાવત રાખી મહંમદમીયા અને અન્ય શખ્સ સહિત બે શખ્સોએ હૂમલો કર્યો હોવાનું સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ અકબરમીયા સૈયદની ફરીયાદમાં જણાવાયું છે આ બનાવ અંગે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગળાફાંસો ખાઇ સગીરાનો આપઘાત
રૂવા ગામે રહેતી આરતી કાનજીભાઇ સોલંકી ઉ.૧૭ નામની સગીરાએ તેણીનાં ઘેર કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.