સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ચોટીલાના સૂજરદેવળમાં રેખાબેનને મેસુરે 'ઘરમાં બેસી જા' કહી ધારીયાનો ઘા ઝીંકયો

રાજકોટ તા. ૧૪: ચોટીલાના સૂરજદેવળમાં રહેતાં રેખાબેન ધનજીભાઇ માતાસુરીયા (ઉ.૫૦) નામના દેવીપૂજક મહિલા પર સાંજે ઘર નજીક જ રહેતાં મેસુર ખીમા માતાસુરીયા (દેવીપૂજક) તથા હરિ મેસુર સહિતનાએ ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી પગે ઘા ઝીંકી દેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. રેખાબેનના પતિ ધનજીભાઇના કહેવા મુજબ મારા પત્નિ બકરા ચરાવવા ગયા ત્યારે મેસુર પણ તેના ઢોર લઇને ગયો હતો. તેણે મારી ઘરવાળીને ઘરમાં બેસી જવાનું કહી છેડતી કરતાં તેણીએ ઠપકો આપ્યો હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો. મેસુર ત્રણેક વર્ષથી હેરાન કરતો હોવાનો આક્ષેપ ધનજીભાઇએ કરતાં ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(9:58 am IST)