News of Saturday, 14th July 2018
પરબધામમાં અષાઢી બીજની ઉજવણી : સૌરાષ્ટ્ર કચ્છમાં રથયાત્રા
મેઘરાજા મહેરબાન થતા લોકોના હૈયે ટાઢક : પૂજન,અર્ચન,ધુન,ભજન,કિર્તન સહિતના કાર્યક્રમોમાં જોડાતા ભાવિકો
રાજકોટ તા.૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામે ગામે રથયાત્રાના આયોજનો કરી ઉજવણી કરવામાં આવી રહી છે.
મેઘરાજાએ સમયસર મહેરબાન થતા લોકોના હૈયે ટાઢક થઇ છે અને અષાઢી બીજની ભવ્ય ઉજવણીના રંગમાં લોકો રંગાયા છે. પૂજન, અર્ચન, ધૂન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્યતાથી આયોજન કરાયુ છે.
(11:43 am IST)