સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

આમ આદમી પાર્ટી વિધાનસભાની તળાજા બેઠક લડશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : તળાજા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યૂ હતું.આ અવસરે આપ પાર્ટીમાં નવા કાર્યકરો જોડાયા હતા. આવનાર દિવસોમાં તળાજા સહિત જિલ્લા રાજયમાં સંગઠન વધુ મજબૂત બનાવવામાં આવશે.

કાર્યક્રમના અધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોનના અગ્રણી રાજભા ઝાલા એ જણાવ્યું હતુંકે ભાવનગર જિલ્લાના દરેક તાલુકા મથક માં સંગઠન વધુ મજબૂત બનાવવા ના ભાગ રૂપે આજે તળાજા ખાતે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેઓએ ભાજપ કોંગ્રેસને નિમ્ન કક્ષાની પાર્ટી ગણાવી જણાવ્યું હતુંકે બંને પાર્ટીમાંથી ઘણા લોકો આપમાં જોડાવા માગે છે.ભવિષ્યમાં સારા લોકોને જોડીશું. તળાજા પંથકના ભાજપના નામાંકિત વ્યકિત જોડાવા માગે છે કે કેમ તેવા સવાલ ના જવાબ માં તેઓએ હાલ હાલ કોઈ જોડાવા માગતું નથી.

આગામી તા.૨૦ સુધીમાં ભાવનગર જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બનાવવા ના ટાર્ગેટ સાથે પ્રદેશ કક્ષાના કાર્યક્રમો આવશે જેનો કાર્યકરો દ્વારા અમલ કરવામાં આવશે.તળાજા સહિત રાજયની ૧૮૨ વિધાનસભા બેઠકો પર આપ પાર્ટીના ઉમેદવારોને ટીકીટ ફાળવામાં આવશે.અને તેના ભાગ રૂપે અત્યારથીજ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છેકે આજે તળાજા ખાતે મળેલ આપ ની મીટીંગ માં ચાલીસેક જેટલા આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.

(11:44 am IST)