સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

આમરણઃ વગડેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ

આમરણ નજીક વગડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવનિર્મિત અતિથિ ભવનનુ઼ લોકાર્પણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં નવનિર્મિત અતિથિ ભવન તથા નીચેની તસ્વીરમાં પુજનવિધિ કરતા અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીરઃ મહેશ પંડયા, આમરણ)

 

આમરણ તા. ૧૪: વિશ્વ હિન્દુ પરિષદ સંચાલિત આમરણ ખાતે હાઇવે પર આવેલ પુરાણા શ્રી વગડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમંાં વતનપ્રેમી સ્વ. છગનભાઇ જાદવજીભાઇ લિખિયા પરિવારના વલ્લભભાઇ લિખિયાના મુખ્યદાનથી રૂ. ૬ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ અતિથિ ભવનનુ઼ ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પ્રમુખપદે યોજાયેલ આ પ્રસંગે મોરબી સ્થિત ઉદ્યોગપતિઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકજનોએ હાજરી આપી હતી. આ તકે આમરણ તથા ડાયમંડનગર ગોપી મંડળોના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.

આ પ્રસંગે વિ. હિ.પ. અગ્રણીઓ ભરતભાઇ ભાલોડિયા, રઘુભાઇ કાસુન્દ્રા, અતુલભાઇ કાસુન્દ્રા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ભૂકંપમાં ધ્વંશ થયેલ શ્રી વગડેશ્વર મહાદેવના તાજેતરમાં નવનિર્માણ બાદ અતિથિ ભવનનાં નિર્માણથી સુવિધામાં વધારો થયો છે.

(11:46 am IST)