સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

સુરેન્દ્રનગરમાં કોમી એકતાના દર્શન

વઢાવાણ તા ૧૪ : સુરેન્દ્રનગર હરણી રોજાના અવસરે કોમી એકતા ભાઇચારાની સદભાવના સમાન ગણાતા અને દરેક સમાજ માન મરતબો મોભા,ઇજ્જત અને હ્રદયમાં સ્થાન મેળવનારા પિરોતરીકત હાજી સૈયદ યુસુફમીયા બાપુના નિવાસ સ્થાને ૨૭ માં રોઝાના અવસરે ઇસ્તાફ પાર્ટી યોજાઇ હતી. સમાજની જગ્યા રબારી સમાજનું દેવસ્થાન વડવાળા મંદીર આવેલું છે. જેના મહંતશ્રી  કનીરામ બાપુ રહેલા છે. ત્યારે આ દુધરેજ વડવાળા મંદીરના મહંત કનીરામબાપએ સુરેન્દ્રનગરના મુસ્લીમ ધર્મગુરૂ હાજી સૈયદ યુસુફમી્યાબાપુને રોઝાના અવસરે રોઝા ઇફતારી કરવા  કોમી એકતા મિશાલનેે મજબુત કરી હતી જયારે હાજી યુસુફમીયાબાપુના પુત્ર હાજી ઇરફાનબાપુ (ડાડાબાપુ) ને સુરૈન્દ્રનગર જીલ્લા પંચાયતના સદસ્ય ચેતનભાઇ ખાચર દ્વારા રોઝા ઇફતેહાર કરાવવામાં આવેલ બાપુને રોઝા ઇફતેહાર મોહનભાઇ પટેલ સમાજ સેવકે પણ ઇફતેહારીકરાવ્યા લીમંડી ધારાસભ્ય સોમાભાઇ પટેલ આરોગ્ય સમિતીના કાંતીલાલ ટમાણીયા, અબ્બાસભાઇ પરમાર, સુરેન્દ્રનગરના ડોકટરો વકિલો તેમજ સમાજના રાહબરો હાસુભાઇ જામ, એસ.આર.કુરેશી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહી અને રોઝા ઇફતેહાર પાર્ટી કરેલ ત્યારે સુરેન્દ્રનગરના રાહબર હાજી હનીફ બાપુ  હાજી ફારૂકબાપુ, તેમજ શહેરની જુદી જુદી મસ્જીદનાબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે તસ્વીર-અહેવાલ ફઝલ ચોૈહાણ વઢવાણ)

(11:45 am IST)