સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

સોમનાથ મંદિરે માસિક શિવરાત્રીનું પુજન

પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રીનાં ૧૦ કલાકે જયોત પૂજન કરવામાં આવેલ. જયોત પૂજન અધિક કલેકટર એચ. આર મોદી હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર, અધિકારી, કર્મચારી, તીર્થ પૂરોહિત અને દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સોમનાથ મહાદેવને રાત્રીનાં ૧૧ કલાકે મહાપૂજા, ૧ર કલાકે મહાઆરતી કરવામાં આવેલ જેનો લાભ લઇ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવેલ. પુજનની તસ્વીર. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:36 am IST)