સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

જામકંડોરણામાં રાદડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રીખોડિયાર માતાજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

યજ્ઞના યજમાન પદે જયેશભાઇ રાદડિયા પરિવાર

જામકંડોરણા તા.૧૪: જામકંડોરણામાં જામકંડોરણા,ચારણીયા,જેતપુર, ગોંડલ,દેવકી ગાલોળ વગેરે ગામના સમસ્ત રાદડિયા પરિવારના કુળદેવીશ્રી ખોડીયાર માતાજીના જામકંડોરણામાં નગર દરવાજા પાસે,ડોડીયા પાટીમાં નવાનેર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા.૧૪ થી તા.૧૬ સુધી ત્રિદિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ ત્રિદિવસીયજ્ઞમાં યજમાન પદે સમસ્ત રાદડીયા પરિવારના મોભી તથા પોરબંદર વિસ્તારના સાંસદ વિઠલભાઇ રાદડીયાના સુપુત્ર અને કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા દંપતી બેસશે યજ્ઞના આચાર્ય પદે સાણથલીના શાસ્ત્રીશ્રી જગદિશચંદ્ર રમણીકલાલ વ્યાસ વૈદિક મંત્રોથી વિધી કરાવશે આ કાર્યક્રમમાં સમસ્ત રાદડીયા પરિવારને હાજરી આપવા નિમંત્રણ પાઠવ્યુ છે.

(11:29 am IST)